બિલ્દાદ શૂહીનો ઉત્તર 
25
1 પછી બિલ્દાદ શૂહીએ ફરીથી ઉત્તર આપ્યો અને કહ્યું, 
2 “દેવ કર્તા-હર્તા છે. 
તે લોકોને તેનાથી ડરે એવા. 
અને તેને માન આપે તેવા બનાવે છે, તે ઉપર તેના રાજ્યમાં શાંતિ જાળવે છે. 
3 તેની સેનાની સંખ્યા કોણ ગણી શકે તેમ છે? 
તેના તારાઓ કોઇ ગણી શકે તેમ નથી. 
દેવનો સૂર્ય દરેક પર સરખો, પ્રકાશ આપે છે. 
4 દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ 
અને ન્યાયી માણસ કોણ છે? 
5 દેવની નજરમાં ચંદ્ર અને તારાઓ પણ નિર્મળ નથી. 
અને પ્રકાશિત નથી. 
6 મનુષ્ય એવો પવિત્ર નથી. 
મનુષ્ય જંતુ જેવા છે, મૂલ્યહીન જીવડાં જેવા છે.”